સ્વતંત્રતા દિવસ... એક એવો દિવસ છે, જે ભારતના ઇતિહાસમાં અજેય અમર છે. સ્વતંત્રતા દિવસ દેશની સ્વતંત્રતા કાજે સ્વાતંત્ર્ય વીરોએ કરેલા સંઘર્ષ, મહેનત અને ભારત દેશને આઝાદ કરાવવા પાછળ આપેલા સમર્પણને યાદ કરવાનો સમય છે. ઘણીવાર અમુક લોકો એવો વિચાર કરે કે It’s all about time. જો આપણે એ સમયમાં જન્મ્યા હોત તો દેશ માટે કંઇક કર્યું હોત! હવે તો દેશ તો આઝાદ થઈ ગ્યો, તો હવે આપણે ક્યાં કોઈ બાબતોથી આઝાદીની જરૂર છે? હવે ક્યાં આપણે દેશ સેવાની જરૂર છે? મિત્રો, માત્ર આઝાદી મળવાથી જ બધું સારું નથી થઈ જતું! એવી ઘણી બાબતો છે, જેનાથી દેશને આઝાદ કરવાની જરૂર છે અને આમાં મદદરૂપ બની તમે દેશ સેવા કરી શકો અને ભારતનું નામ વિશ્વમાં ઉજ્જવળ કરી શકો. દેશને ગરીબી, ભૂખમરો, અસમાનતા, જાતિ-જ્ઞાતિ, સ્ત્રીઓ પ્રત્યે હિંસા, શિક્ષણમાં પછાતપણું, ભ્રષ્ટાચાર, રાજનીતિમાં અપરાધીકરણ, ઘટી રહેલી નૈતિકતા વગેરે કેટલીયે બાબતોમાંથી આઝાદી મેળવવાની જરૂરિયાત છે. હાલ આપ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, અને ભવિષ્યમાં સરકારી વિભાગમાં સેવા માટે જોડાશો. આ એક એવી તક છે કે તમે એક સારા અધિકારી બનો, જેના થકી તમે તમારો તેમજ સમાજનો વિકાસ થાય અને અગાઉ જોયેલી ગુલામીઓમાંથી દેશને આઝાદી અપાવી શકો. આ પણ એક પ્રકારે દેશ સેવા જ છે. તો ચાલો આ સ્વતંત્રતા દિવસ પર સંકલ્પ કરીયે કે હવે જે કઈ પણ મહેનત કરીશું એ આઝાદ ભારતના જતન માટે કરીશું. વેબસંકુલ પરિવાર તરફથી સૌ વિદ્યાર્થી મિત્રોને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ! આપની મહેનત આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રંગ લાવે એવી પ્રાથના. જય હિન્દ...!!!
17
2